|
ગાંધીજી નિડર હતા આપણે સૌ નિડર બનીએ. સત્યજ ઇશ્વર છે અને એને જાનના જોખમે વળગી રહીએ. આળસ એ મૃત્યુનું પહેલું અને છેલ્લું પગથિયું છે. ખોટું કરીએ નહિ, કરવા દઇએ નહિં, અને થાય ત્યાં ભેગા મળી અટકાવીએ. “મેરા ભારત મહાન” ના નારા લગાવ્યા વિના એને “નંદનવન” બનાવવા ભગીરથ પ્રયત્ન કરીએ. સમાજના બધાં જ સારા કામ, સત્તાધારીઓ ઉપરજ ન છોડી આપણે ભેગા મળી સૌ કામ ઉપડી લઇએ. દરેક સત્તા પર બેસેલા અધિકારીઓ સમાજના પગારદાર સેવકો છે એમનાથી ડરવું ન જોઇએ અને એમની ગુલામી સ્વિકારવી ન જોઇએ. ચારે બાજુના અંધકારથી ડરીએ નહિં, અંધકારમાં પણ લાખ્ખો તારલા ઝળહળશે અને “પૂર્ણિમા” પૂર્ણ રૂપમાં પ્રગટશે. દરેક પ્રકારની જાણકારી અને માહિતી મેળવવી કે લેવી એ “જ્ઞાન” છે અને “જ્ઞાન” મેળવવું એ આપણો જન્મસિધ્ધ હક છે. |
કાળજું વાઘસિંહનું રાખો, સ્વમાન ખાતર મરવાની તાકાત હ્રદયમાં રાખો: --- સરદાર પટેલ અમારા તન-મન અને વાણોથી કોઇનુંયે અહિત ન થાવ હે પરમાત્મા અમને સર્વને સત્યતા, બળ, બુધ્ધિ, વિરતા, આત્મબળ, સંયમ, શાંતિ અને શક્તિ આપો |
|
|
|
|